ઉમ્મુલ્ મુઅમિનીન ઉમ્મે સલમા રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે કે તેમણે કહ્યું: મેં અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને કહેતા સાંભળ્યા: «કોઈ પણ મુસલમાન જેને કોઈ તકલીફ પહોંચે અને તે તેજ શબ્દો કહે છે જેનો અલ્લાહએ આદેશ આપ્યો છે: {"ઇન્ના લિલ્લાહિ વઇન્ના ઇલૈહિ રાજીઊન" આપણે સૌ અલ્લાહની માલિકી હેઠળ છે અને આપણે સૌએ તેની તરફ જ પાછા ફરવાનુ છે} [અલ્ બકરહ: ૧૫૬], "અલ્લાહુમ્મ અજિર્ની ફી મુસીબતી, વઅખ્લિફ્લી ખૈરમ્ મિન્હા, ઇલ્લા અખ્લફલ્લાહુ લહુ ખૈરમ્ મિન્હા" (હે અલ્લાહ ! મને મારી મુસીબતનો સવાબ આપ, અને મને તેનાં બદલામાં તેનાથી શ્રેષ્ઠ વસ્તુ પ્રદાન કર)», (ઉમ્મે સલમા રઝી.એ) કહ્યું: જ્યારે અબૂ સલમાનું મૃત્યુ થઈ ગયું તો મેં કહ્યું: કયો વ્યક્તિ અબૂ સલમા કરતાં વધુ શ્રેષ્ઠ હોય શકે છે, તે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ તરફ હિજરત કરનાર સૌથી પહેલું ઘર હતું, ફરી મેં તે શબ્દો કહ્યા, તો અલ્લાહ તઆલા નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના રૂપે તેનો શ્રેષ્ઠ બદલો આપ્યો. સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) - આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
explain-icon

સમજુતી

ઉમ્મુલ્ મુઅમિનીન ઉમ્મે સલમા રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે, કે તેમણે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને એક વખત કહેતા સાંભળ્યા: કોઈ પણ મુસલમાન જેને કોઈ પણ તકલીફ પહોંચે અને તે તેજ શબ્દો કહે છે જેનો અલ્લાહએ આદેશ આપ્યો છે: {"ઇન્ના લિલ્લાહિ વઇન્ના ઇલૈહિ રાજીઊન" આપણે સૌ અલ્લાહની માલિકી હેઠળ છે અને આપણે સૌએ તેની તરફ જ પાછા ફરવાનુ છે} [અલ્ બકરહ: ૧૫૬], (અલ્લાહુમ્મ અજિર્ની) મને મારા સબરનો બદલો આપ, (ફી મુસીબતી) મારો બદલો, (વઅખ્લિફ્લી) તેનાથી, (ખૈરમ્ મિન્હા) જે અલ્લાહ તેના કરતાં વધુ શ્રેષ્ઠ બદલો તૈયાર કર્યો હોય. (ઉમ્મે સલમા રઝી અલ્લાહુ અન્હાએ) કહ્યું: જ્યારે અબૂ સલમાનું મૃત્યુ થઈ ગયું તો મેં કહ્યું: કયો વ્યક્તિ અબૂ સલમા કરતાં વધુ શ્રેષ્ઠ હોય શકે છે, તે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ તરફ હિજરત કરનારામાં સૌથી પહેલું ઘર હતું, ફરી મેં તે શબ્દો કહ્યા, તો અલ્લાહ તઆલાએ મારી મદદ કરી, અને મને નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના રૂપે તેનો શ્રેષ્ઠ અબૂ સલમાથી વધુ શ્રેષ્ઠ બદલો આપ્યો.

explain-icon

હદીષથી મળતા ફાયદા

  • મુસીબતો પર સબર કરવાનો આદેશ આપ્યો છે, અને નાસીપાસ થવાથી રોક્યા છે.
  • મુસીબતના સમયે ફક્ત અલ્લાહ તરફ જ પાછું ફરવું જોઈએ; કારણકે તે જ શ્રેષ્ઠ બદલો આપનાર છે.
  • મોમિન માટે જરૂરી છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના આદેશોનું પાલન કરે, ભલેને તે આદેશની હિકમત તેને ખબર ન હોય.
  • દરેક પ્રકારની ભલાઈ મોમિન માટે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના અનુસરણમાં જ છે.