નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) જ્યારે મસ્જિદમાં દાખલ થતાં તો કહેતા: (અઊઝુબિલ્લાહિલ્ અઝીમ) હું અલ્લાહ સમક્ષ તેના ગુણો દ્વારા શરણ માંગુ છું. (વબિવજ્હિહિલ્ કરીમ) સૌથી વધુ દાન કરનાર, ખૂબ આપનાર, (વસુલ્તાનિહિ)તેનું વર્ચસ્વ, શક્તિ, અને કુદરત, તે પોતાના સર્જનીઓ માંથી ઈચ્છે તેને હરાવવાની ક્ષમતા ધરાવે છે. (અલ્ કદીમ) શાશ્વત (મિનશ્ શૈતાનિર્ રજીમ) ધૃતકરવામાં આવેલ શૈતાનથી, જેણે અલ્લાહની કૃપા માંથી કાઢી દેવામાં આવ્યો છે. અર્થાત્: હે અલ્લાહ! મને તેના વસવસા, તેના ફિતના, તેની તરફથી આવતા ખતરાઓ, અને તેની પથભ્રષ્ટતાથી સુરક્ષિત રાખ, કારણકે તે પથભ્રષ્ટતા, ફિતના અને અજ્ઞાનતા તરફ દોરે છે, તો અબ્દુલ્લાહ બિન અમ્રને કહેવામાં આવ્યું કે શું આટલું જ કહ્યું હતું? અર્થાત્ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય)એ આ જ શબ્દો કહ્યા હતા? તેમણે કહ્યું: હાં બસ જ્યારે કોઈ વ્યક્તિ મસ્જિદમાં દાખલ થતી વખતે આ દુઆ પઢે; તો શૈતાન કહે છે કે ખરેખર આ વ્યક્તિએ પોતાના નફ્સને મારાથી સંપૂર્ણ દિવસ અને રાતના સમય માટે સુરક્ષિત કરી લીધો.