આ હદીષમાં નબી ﷺ એ જણાવ્યું કે જે વ્યક્તિએ અલ્લાહ, અને તેના નામો અને ગુણોને છોડી અન્યની કસમ ખાધી તો તેણે અલ્લાહ સાથે કુફ્ર કર્યું અથવા શિર્ક કર્યું, કારણકે કોઈ પણ વસ્તુની કસમ ખાવાનો અર્થ એ છે કે તેને મહાન સમજવામાં આવી રહી છે, જ્યારે કે દરેક પ્રકારની મહાનતા ફક્ત અલ્લાહ માટે જે છે, કસમ અલ્લાહની અને તેના નામો અને ગુણોની ખાવામાં આવશે. અને અલ્લાહ સિવાય અન્યની કસમ ખાવી એ શિર્કે અસગર ગણાશે; પરંતુ જો કસમ ખાનાર વ્યક્તિ જેની કસમ ખાઈ રહ્યો હોય તેને મહાન સમજી કસમ ખાય અથવા તેને અલ્લાહ કરતાં પણ વધુ મહાન સમજે, તો તે સમયે તેને શિર્કે અકબર કર્યું ગણવામાં આવશે.