મોમિનોના અમીર અલી રઝી અલ્લાહુ અન્હુ પાસે એક મુકાતિબ આવ્યો, જેણે પોતાના માલિક સાથે પોતાને જ ખરીદી આઝાદ કરવાનું લખાણ કયું હતું, જેથી તે આઝાદ થઈ જાય, અને તેની પાસે માલ ન હતો, તો તેણે કહ્યું: ખરેખર હું મારા લખાણને પૂરો કરવામાં અસક્ષમ છું, જેથી મને માલ અથવા શિક્ષા આપી મારી મદદ કરો, અલી રઝી અલ્લાહુ અન્હુએ તેને કહ્યું: શું હું તને બે એવા કલિમા ન શીખવાડું જે મને નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ શીખવાડયા હતા, અને જો તમારા શિરે સીર પર્વત જેટલું પણ દેવું હશે, જે તઈ ખાનદાન પાસે છે, તો અલ્લાહ તમને તેની નિંદાથી છુટકારો આપશે, કહ્યું: કહો: "અલ્લાહુમ્મક્ ફિની" (હે અલ્લાહ! મારા માટે પૂરતો થઈ જા) મારાથી ફેરવી દે અને મારાથી દૂર કરી દે, "બિહલાલિક" (જે તે હલાલ કરી છે) તેનાથી દૂર રાખ જેથી હું બેનિયાઝ થઈ જાઉં, "અન" (તેનાથી) તેમાં સપડાવવાથી, "હરામિક" (જે તે હરામ કરી છે), "વઅગ્નિની" (મારા માટે પૂરતો થઈ જા), મને કોઈનો મોહતાજ ન બનાવ, "બિફઝ્લિક" (તારી કૃપાથી) તારી ઉદારતાથી, "અમ્મન સિવાક" (તારા સિવાય) તારા સમગ્ર સર્જનથી.