એક વ્યક્તિ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે આવી, એવા વ્યક્તિ વિષે સવાલ કર્યો, જે જિહાદ (યુદ્ધ)માં, અલ્લાહ પાસે સવાબ અને લોકો પાસે પ્રસંશા મેળવવા માટે ભાગ લે છે, તે વ્યક્તિ જાણવા ઈચ્છતો હતો કે આવા વ્યક્તિને શું સવાબ મળશે? તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેને આ જવાબ આપ્યો કે તે વ્યક્તિને કઈ પણ (સવાબ) નહીં મળે, કારણકે તેણે પોતાની નિયતમાં અલ્લાહ સાથે અન્યને પણ ભાગીદાર બનાવ્યા, તે વ્યક્તિએ પોતાનો સવાલ અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સમક્ષ ત્રણ વખત કર્યો, અને આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ તેને ત્રણેય વખતે આ જ જવાબ આપતા તેને કઈ પણ (સવાબ) નહીં મળે, ફરી અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું, અલ્લાહ પાસે કોઈ પણ અમલને કબૂલ થવાનો કાયદો વર્ણન કરી દીધો, અને તે નિયમ એ છે કે કોઈ પણ કાર્ય ફક્ત ત્યારે જ કબૂલ થશે જ્યારે તેને સંપૂર્ણ રીતે અલ્લાહ માટે અને ફક્ત તેની પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે કરવામાં આવે, અને તેમાં અન્યને ભાગીદાર ઠેહરાવામાં ન આવે.