સુહૈબ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જ્યારે જન્નતી લોકો જન્નતમાં જતા રહેશે, તો કહ્યું:અલ્લાહ તઆલા તેમને કહેશે: હજુ કઈ વધારે ઈચ્છા કરી? જન્નતી લોકો કહેશે: શું તમે અમારા ચહેરા પ્રકાશિત નથી કર્યા? તે અમને જન્નતમાં દાખલ નથી કર્યા? અને જહન્નમથી છુટકારો ન આપ્યો? અલ્લાહ તઆલા પડદો ઉઠાવશે, તો તેમને કોઈ એવી વસ્તુ આપવામાં આવી નથી હોય, જે તેમને તેમના પાલનહારના દીદાર કરતા વધુ પ્રિય હોય». સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) - આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
explain-icon

સમજુતી

આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જણાવી રહ્યા છે કે જ્યારે જન્નતી લોકો જન્નતમાં પ્રવેશશે, તો અલ્લાહ તઆલા તેમને કહેશે: શું તમારી વધુ ઈચ્છા ખરી? જે હું તમને આપું? દરેક જન્નતી લોકો કહેશે: તે અમારા ચહેરાઓને પ્રકાશિત ન કર્યા? તે અમને જન્નતમાં પ્રવેશ ન આપ્યો, અને જહન્નમથી છુટકારો ન આપ્યો? અલ્લાહ તઆલા પડદો ઉઠાવશે અને બુલંદ થશે; અને તે પરદો સંપૂર્ણ પ્રકાશિત હશે, તો એમને કોઈ એવી વસ્તુ આપવામાં નથી આવી, જે તેમને તેમના પાલનહારના દીદાર કરતા વધુ પ્રિય હોય.

explain-icon

હદીષથી મળતા ફાયદા

  • જન્નતી લોકો માટે અલ્લાહ પરદો હટાવશે, જેથી કરીને તેઓ અલ્લાહનો દીદાર કરી શકે અને કાફિરો આ ભવ્ય નેઅમતથી વચિંત રહેશે.
  • જન્નતની સૌથી મોટી નેઅમત મોમિનો માટે પોતાના પાલનહારનો દીદાર હશે.
  • જન્નતી લોકોના દરજ્જા અલગ અલગ હોવા છતાંય પરંતુ તેઓ પોતાના પાલનહારને જોશે.
  • મોમિનો માટે અલ્લાહ તઆલાની ભવ્ય કૃપા, જે તે જન્નતમાં પ્રવેશ આપશે.
  • નેક અમલ વધુમાં વધુ કરી જન્નતમાં પ્રવેશવા બાબતે ઉત્સુકતા અને તે અલ્લાહ અને તેના રસૂલનું અનુસરણ કરીને શક્ય છે.
explain-icon

વધુ