નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અબૂ સઈદ ખુદરી રઝી અલ્લાહુ અન્હુને જણાવી રહ્યા છે કે જે વ્યક્તિ અલ્લાહ પર ઇમાન ધરાવશે, અને તે તેના પાલનહાર હોવા પર, ઇલાહ હોવા પર, માલિક હોવા પર, સરદાર પર તેમજ વયવસ્થાપક હોવા પર રાજી થઈ જશે, અને ઇસ્લામના દીન હોવા પર, ઇસ્લામના દરેક આદેશોનો દિલથી સ્વીકાર કરી અને તેણે રોકેલા કાર્યોથી સંપૂર્ણ રીતે બચતા, તેમજ પયગંબર મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના નબી હોવા પર, જે કંઈ તેમને આપવામાં આવ્યું અને આપણા સુધી તેમણે પહોચાડ્યું, (તેનો સ્વીકાર કર્યો) તો તેના માટે જન્નત અનિવાર્ય થઈ જશે, અબૂ સઈદ ખુદરી રઝી અલ્લાહુ અન્હુએ આશ્ચર્ય સાથે કહ્યું: હે અલ્લાહના પયગંબર! ફરી એકવાર જણાવો, તો આપસલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ ફરીવાર કહ્યું: મારી પાસે એક બીજો ગુણ છે, જેના કારણે અલ્લાહ જન્નતમાં બંદાના સો દરજ્જા વધારશે, પ્રત્યેક બે દરજ્જા વચ્ચે આકાશ અને ધરતી જેટલું અંતર હશે, અબૂ સઈદ રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: તે કયો ગુણ છે? હે અલ્લાહના રસૂલ! આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: અલ્લાહના માર્ગમાં જિહાદ (યુદ્ધ) કરવું, અલ્લાહના માર્ગમાં જિહાદ કરવું.