આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ પોતાની પત્નીઓને મારવા પર રોક લગાવી છે, ઉમર બિન્ ખત્તાબ રઝી અલ્લાહુ અન્હુ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે આવી આવ્યા અને કહ્યું: હે અલ્લાહના પયગંબર! સ્ત્રીઓ તેમના પતિઓ પ્રત્યે ઘણી નીડર થઈ ગઈ છે અને આ સારી આદત નથી. તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેણીઓને એવી રીતે મારવાની પરવાનગી આપી જે કઠીન ન હોય અને યોગ્ય કારણ સાથે હોય, જેમકે પતિના અધિકારો પુરા ન પાડવા અને અવજ્ઞા કરવી. તો પછી કેટલીક સ્ત્રીઓ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની પત્નીઓ પાસે પોતાના પતિઓના વધારે મારવાની ફરિયાદ લઈને આવી અને તેઓ આ છૂટનો દુરુપયોગ કરી રહ્યા છે, તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસ્સલમએ કહ્યું: જે લોકો પોતાની પત્નીઓને સખત માર મારતા હોય છે, તેઓ સારા લોકો નથી.