આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ જણાવ્યું કે જ્યારે નમાઝ પઢનાર વ્યક્તિ નમાઝની સ્થિતિ બાબતે શંકામાં પડી જાય તો, અને તેને યાદ ન હોય કે તેણે કેટલી રકઅત પઢી છે, ત્રણ કે ચાર? તો જે વધુ નંબર હોય તેને હટાવી અને નાના આંકડાના નંબર પર અમલ કરે, અને તે ત્રણ છે; કારણકે ત્રણ પર તો યકીન છે જ, અને ચોથી રકઅત પઢી લે, અને સલામ ફેરવતા પહેલા બે સિજદા કરી લે. જો કદાચ તેણે ચાર રકઅત પઢી હોય તો વધારાની એક રકઅત પાંચ થઈ જશે, અને બે સિજદા એક રકઅતના બદલામાં ગણવામાં આવશે, તો આમ તે સંખ્યા બેકી થઈ જશે, એકી સંખ્યા નહીં રહે, અને વધારાની નમાઝ જો ચાર થતી હશે તો તેના પર જે અનિવાર્ય હતું તેણે એટલી નમાઝ પઢી, કોઈ વધારો કે નુકસાન કર્યા વગર. આપણાં બંને સજદાએ સહ્વ (ભૂલના સિજદા), શૈતાનને અપમાનિત કરવા અને તેને હરાવવા માટે છે, તેના દ્વારા માનવી તેને નિરાશા તરીકે નકારી કાઢ્યો, તે જે ઇચ્છતો હતો તેનાથી દૂર; કારણ કે તેણે તેની નમાઝ બાબતે મૂંઝવણમાં મૂકી દીધો હતો, જે અધૂરી રહી અતિ અથવા બેકાર થઈ જતી, પરંતુ આદમના પુત્રની નમાઝ ત્યારે પૂર્ણ થઈ હતી, જ્યારે તેણે સર્વશક્તિમાન અલ્લાહની આજ્ઞા પ્રમાણે સિજદો કર્યો, અને તેના દ્વારા ઈબ્લીસ શૈતાનની અવજ્ઞા કરી, જ્યારે તેણે અલ્લાહના અનુસરણ મુજબ આદમને સિજદો કરવાથી ના પાડી દીધી હતી.