ઈબ્ને ઉમર રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે, તેઓ કહે છે કે આપ ﷺ એ કહ્યું: «મને જિબ્રઇલ અલૈહિસ્ સલામ સતત પાડોશીઓ વિશે વસિયત કરતા રહ્યા અહીં સુધી કે મેં અનુમાન થવા લાગ્યું કે ક્યાંક તેમને માલમાં વારસદાર બનાવી દે શે». સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) - મુત્તફકુન્ અલયહિ
explain-icon

સમજુતી

આપ ﷺ જણાવી રહ્યા છે કે જિબ્રઇલ અલૈહિસ્ સલામ તેમને વારંવાર પાડોશીઓનો ખ્યાલ રાખવા બાબતે કહેતા રહ્યા, અને સતત પાડોસી પડોશીનો ખ્યાલ રાખવાનો આદેશ આપતા રહ્યા, અને યાદ રાખે કે પાડોસી તેને કહે છે, જેનું ઘર તમારા ઘરની નજીક હોઈ, મુસલમાન હોય કે કાફિર હોય, સંબંધી હોય કે ન હોય, પાડોસીઓનું ધ્યાન રાખવાનો અર્થ એ કે તેમના દરેક અધિકારોની સુરક્ષા કરવી, તેમને તકલીફ આપવાથી બચવું, તેમના પર ઉપકાર કરવો, અને તેમની તરફથી આવવા વાળી તકલીફ પર સબર કરવી, અહીં સુધી કે આપ ﷺ એ અનુમાન લગાવ્યું, જે પ્રમાણે જીબ્રઇલ અલૈહિસ્ સલામ મને પાડોશીઓના હકના મહત્વ વિશે અને વારંવાર વર્ણન કરી રહ્યા છે તો માનવીના મૃત્યુ પછી તેણે જે બચાવ્યું છે, તે માલ માંથી પાડોશીને પણ ભાગ આપવામાં આવશે.

explain-icon

હદીષથી મળતા ફાયદા

  • પાડોશીના હકનું મહત્વ અને તેનું ધ્યાન રાખવું વાજિબ હોવું.
  • પાડોશીના અધિકાર પ્રત્યે કરવામાં આવી વસિયત દર્શાવે છે કે તેમણે સન્માન આપવું, તેમની સાથે મોહબ્બત કરવી, તમની સાથે સારો વ્યવહાર કરવો, તેમણે બુરાઈથી રોકવા, જો તેઓ બીમાર થઈ જાય તો તેમની ખબરગીરી કરવા માટે જવું, ખુશીના સમયે તેમણે શુભેચ્છા પાઠવવી અને દુ:ખના સમયે તેમણે આશ્વાસન આપવું.
  • પાડોશીનો દરવાજો જેટલો નજીક હોય એટલો જ તેના હકનો ખ્યાલ કરવામાં આવે.
  • ઇસ્લામની શરિઅત એક સંપૂર્ણ શરીઅત છે, જેમાં પાડોસીઓ સાથે સારો વ્યવહાર કરવો અને તેમને બુરાઈથી બચાવવા, એવી જ રીતે સમાજને સુધરવાની દરેક વાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.