આપ ﷺ જણાવી રહ્યા છે કે જિબ્રઇલ અલૈહિસ્ સલામ તેમને વારંવાર પાડોશીઓનો ખ્યાલ રાખવા બાબતે કહેતા રહ્યા, અને સતત પાડોસી પડોશીનો ખ્યાલ રાખવાનો આદેશ આપતા રહ્યા, અને યાદ રાખે કે પાડોસી તેને કહે છે, જેનું ઘર તમારા ઘરની નજીક હોઈ, મુસલમાન હોય કે કાફિર હોય, સંબંધી હોય કે ન હોય, પાડોસીઓનું ધ્યાન રાખવાનો અર્થ એ કે તેમના દરેક અધિકારોની સુરક્ષા કરવી, તેમને તકલીફ આપવાથી બચવું, તેમના પર ઉપકાર કરવો, અને તેમની તરફથી આવવા વાળી તકલીફ પર સબર કરવી, અહીં સુધી કે આપ ﷺ એ અનુમાન લગાવ્યું, જે પ્રમાણે જીબ્રઇલ અલૈહિસ્ સલામ મને પાડોશીઓના હકના મહત્વ વિશે અને વારંવાર વર્ણન કરી રહ્યા છે તો માનવીના મૃત્યુ પછી તેણે જે બચાવ્યું છે, તે માલ માંથી પાડોશીને પણ ભાગ આપવામાં આવશે.