આ હદીષમાં નબી ﷺ જણાવી રહ્યા છે કે અલ્લાહ તઆલાએ તેમને મુશરીક લોકો સાથે યુદ્ધ કરવાનો આદેશ આપ્યો ,છે અહીં સુધી કે તેઓ તે વાતની ગવાહી ન આપે કે અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ નથી, અને તેનો કોઈ ભાગીદાર નથી, અને ગવાહી આપે કે મોહમ્મદ ﷺ અલ્લાહના પયગંબર છે, અને આ ગવાહીની સાથે સાથે અમલ પણ કરે તે એ રીતે કે દિવસ અને રાત દરમિયાન પાંચ વખતની નમાઝ પઢે, અને હકદારોને અનિવાર્ય ઝકાત આપે. જે કોઈ ઉપરોક્ત વર્ણવેલ કાર્યો કરશે તો તે પોતાની જાન અને માલ સુરક્ષિત કરી લેશે, તેને કતલ કરવું યોગ્ય નહીં ગણાય, સિવાય એ કે જો તે કોઈ એવુ કાર્ય કરે જેના કારણે ઇસ્લામમાં હદ (સજારૂપે) અથવા કતલ અનિવાર્ય થતી હોય તો પછી તેનું કતલ કરવામાં આવશે, ફરી કયામતના દિવસે અલ્લાહ તઆલા તેના ગુપ્ત કાર્યોને જાણી તેની સાથે હિસાબ કિતાબ કરશે.