નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ શરીઅતના આદેશોને ત્રણ પ્રકારમાં વહેંચણી કરી છે: જેમાં ચૂપ રહેવું જોઈએ, જેનાથી બચીને રહેવું જોઈએ અને જે આદેશો પર અમલ કરવો જોઈએ. પહેલો પ્રકાર: જેમાં શરીઅતે ચૂપ રહેવાનું કહ્યું છે: જેના વિશે કોઈ આદેશ ન આવ્યો હોય, અને વસ્તુઓમાં તેની મૂળ એ કે તે વાજીબ નથી; કારણકે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) ના સમયમાં કેટલીક વખતે અમુક વસ્તુઓ વિશે સવાલને છોડી દેવું જરૂરી હોતું એ ડરના કારણે કે ક્યાંક તેના વાજીબ હોવા પર અથવા હરામ હોવા પર કોઈ આદેશ ન આવી જાય, અને અલ્લાહએ આ છૂટ પોતાના બંદાઓ પર રહેમત કરી હોય. અને નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) ના મૃત્યુ પછી કોઈ ફતવો જાણવા અથવા શિક્ષા પ્રાપ્ત કરવા જે આદેશોમાં હુકમની જરૂર પડે તે બાબતે સવાલ કરવું જાઈઝ છે, પરંતુ અનિવાર્ય છે, અને જો હટ અને ફસાદ કરવા માટે હોય, તો આ હદીષ પ્રમાણે તેnનાથી બચવું જોઈએ, કારણકે પછી જે પ્રમાણે બનુ ઇસ્રાઈલ સાથે થયું એ પ્રમાણે થઈ શકે છે, જયારે તેમને એક ગાય ઝબહે કરવાનો આદેશ આપવામાં આવ્યો, તો તેઓ કોઈ પણ ગાય ઝબહે કરતા, તો આદેશ પર અમલ થઈ જતો પરંતુ તેઓએ પોતાના પર સખતી કરી તો તેમના માટે મુશ્કેલી ઉભી થઈ ગઈ. બીજો પ્રકાર: જે આદેશો પર રોક લગાવી હોય, તેને છોડવા પર સવાબ મળશે, અને તેને કરવાથી સજા મળશે, તો તેનાથી સંપૂર્ણ તેનાથી બચવું જરૂરી છે. ત્રીજો પ્રકાર: તે આદેશો જેને કરવાનો હુકમ આપ્યો હોય, તેને કરવા પર સવાબ મળશે, અને છોડવા પર સજા મળશે, પોતાની ક્ષમતા પ્રમાણે તેના પર અમલ કરવો જરૂરી છે.