અનસ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: હું અબૂ તલ્હાના ઘરે લોકોને શરાબ પીવડાવી રહ્યો હતો, તે સમયે ખજૂરથી બનેલી શરાબ પીતા હતા, પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ એક અવાજ આપનારને આદેશ આપી મોકલ્યો: ખબરદાર શરાબ હરામ થઈ ગઈ છે, તેમણે કહ્યું: અબૂ તલ્હાએ મને કહ્યું: બહાર જઈ આ બધી જ શરાબ ફેંકી દો, મેં બહાર જઈ સંપૂર્ણ શરાબ વહાવી દીધી, શરાબ મદીનહની ગલીઓમાં વહેવા લાગી, કેટલાકે લોકોએ કહ્યું: એવું લાગે છે કે ઘણા લોકો આ જ સ્થિતિમાં કતલ કરી દેવામાં આવ્યા કે શરાબ તેમના પેટમાં હતી, પછી અલ્લાહએ આ આયત ઉતારી: {જે લોકો ઈમાન લાવ્યા અને નેક અમલ કર્યા તેમને એ વાત પર કઈ ગુનોહ નથી થાય, જે તેઓ (શરાબ પીવા પર રોક આવવા પહેલા) પી લીધું છે} [અલ્ માઇદહ: ૯૩]. સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) - મુત્તફકુન્ અલયહિ
explain-icon

સમજુતી

અનસ બિન માલિક રઝી અલ્લાહુ અન્હુએ જણાવ્યું કે તેઓ અબૂ તલ્હાના ઘરે શરાબ પીવડાવી રહ્યા હતા, તે સમયે ખજૂરથી જ શરાબ બનાવતા હતા, ખજૂરને સુકાવી તેના રસ દ્વારા બનાવી લેતા, પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ એક અવાજ આપનારને મોકલ્યો, તેણે બૂમ પાડી અને કહ્યું: ખબરદાર શરાબ હરામ થઈ ગઈ છે, અનસ રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: અબૂ તલ્હાએ મને કહ્યું: બહાર જઈ આ જેટલી શરાબ છે, તે વહાવી દો, હું બહાર નીકળ્યો અને બધી જ શરાબ વહાવી દીધી, મદીનાની ગલીઓમાં શરાબ વહેવા લાગી, કેટલાક લોકોએ કહ્યું: કેટલાક લોકોને કતલ કરી દેવામાં આવ્યા, એ સ્થિતિમાં કે તેમના પેટમાં હજુ શરાબ હતી, તો અલ્લાહ તઆલાએ આ આયત ઉતારી: {જે લોકો ઈમાન લાવ્યા અને નેક અમલ કર્યા તેમને એ વાત પર કઈ ગુનોહ નથી થાય, જે તેઓ (શરાબ પીવા પર રોક આવવા પહેલા) પી લીધું છે} [અલ્ માઈદહ: ૯૩] આયત સુધી. અર્થાત્: જે લોકો ઇમાન લાવ્યા છે તેમના પર શરાબ હરામ થવા પહેલા જો પીધી હશે તો તેમના પર કોઈ ગુનોહ નથી.

explain-icon

હદીષથી મળતા ફાયદા

  • અબૂ તલ્હા અને અન્ય સહાબાઓની મહત્ત્વતા કે તેઓએ અલ્લાહના આદેશ પર કંઈ પણ સવાલ કર્યા વગર અમલ કરવામાં ઉતાવળ કરી, સાચા મુસલમાને આમ જ કરવું જોઈએ.
  • અલ્ ખમર (શરાબ): જેમાં દરેક નશીલો પદાર્થ સમાવેશ થાય છે.
  • અલ્ ફઝીહ: કાચી ખજૂર અને પાકી ખજૂરથી બનાવવામાં આવેલો રસ, જેને આગમાં બનાવવામાં ન આવ્યા હોય, બસ્ર: ખજૂર બનતા પહેલાનું ફળ.
  • ઈબ્ને હજર રહિમહુલ્લાહએ કહ્યું: મુહલ્લિબે કહ્યું: જાહેરમાં તેના અસ્વીકારની જાહેરાત કરવા અને તેના ત્યાગને વ્યાપકપણે પ્રસિદ્ધ કરવા માટે ગલીઓમાં શરાબ રેડવામાં આવી હતી, તેને ગલીઓમાં ઠાલવવાથી થતા નુકસાન કરતાં વધુ ફાયદો થયો.
  • બંદાઓ પ્રત્યે અલ્લાહની ભવ્ય કૃપાનું વર્ણન કે તે આદેશ આપતા પહેલા કરવામાં આવેલ કાર્યો પર પકડ નહીં કરે.
  • અલ્લાહએ દારૂ પર પ્રતિબંધ લગાવ્યો; તેમાં એવા દુષણો છે, જે મન અને ધનને નુકસાન પહોંચાડે છે અને તેના કારણે વ્યક્તિ ઘણા પાપ કરે છે, બુદ્ધિ મંદ થઈ જવાના કારણે.