મદીનામાં યહૂદીઓના બન્ને જૂથ, જેમનું નામ બનૂ કુરૈઝહ અને બનૂ નઝીર હતું, અજ્ઞાનતા સમયમાં એક જૂથે બીજા પર પ્રભુત્વ મેળવ્યું હતું, અને વિજય પામ્યા હતા, પ્રભુત્વ મેળવેલ જૂથે આ વાત પર સમાધાન કર્યું હતું કે તે હારી ગયેલા જૂથના જેટલા વ્યક્તિઓને કતલ કર્યા છે, તેમની દિયત ૫૦ વસક આપશે, અને હારી ગયેલ વ્યક્તિએ વિજય પામેલ જૂથના જે વ્યક્તિને કતલ કર્યો હશે તેમના એક વ્યક્તિની દિયત ૧૦૦ વસક આપશે, એક વસખ સાઈઠ સાઅ બરાબર હોય છે. તેઓ તે જ સ્થિતિમાં રહ્યા જ્યાં સુધી પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ, એક મુહાજિર તરીકે મદીનહ આવ્યા, અને બંને જૂથોએ તેમના આગમનને સ્વીકાર્યું, તે સમયે, તેમણે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ હજુ સુધી તેમના દુશ્મનો પર વિજય મેળવ્યો ન હતો, અને ન તો તેમને તેમનું પાલન કરવા માટે મજબૂર કર્યા; કારણ કે તે હિજરતની શરૂઆતમાં હતું, અને તેઓ એક સમાધાનના કરારમાં બંધાયેલા હતા. આ દરમિયાન હારી ગયેલા જૂથે વિજય પામેલા જૂથના એક વ્યક્તિનું કતલ કરી દીધું, તો વિજય પામેલા જૂથે હારી ગયેલા જૂથને સંદેશો મોકલાવ્યો કે તેઓ સો વસક દંડ કે દિયત મોકલે, હારી ગયેલ કબીલાએ કહ્યું કે આ વાત ક્યારેક થઈ શકે છે કે જેમનો દીન પર એક હોય, નસબ પણ એક હોય અને શહેર પણ એક જ હોય? અને એકની દિયત પૂરી અને એકની અડધી? પહેલા અમે આ દંડ ડર અને ભયના કારણે આપતા હતા, અને અમારા પર જુલમ છે, પરંતુ હવે જ્યારે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આવી ગયા છે, અમે ક્યારેય દિયત આ પ્રમાણે નહીં આપીએ. તેમની વચ્ચે યુદ્ધ લગભગ શરૂ થઈ ગયું હતું, પરંતુ પછી તેઓ સંમત થયા કે પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને તેમની વચ્ચે ન્યાય કરવા દો, પછી ઉચ્ચ પદવાળી સ્ત્રીએ વિચાર કર્યો અને કહ્યું: "અલ્લાહની કસમ, મુહમ્મદ તમને જે આપે છે તેનાથી બમણું નહીં આપે, અને તેઓએ સત્ય કહ્યું છે; તેઓએ ફક્ત અમારા અન્યાય અને તેમના પરના જુલમને કારણે અમને આ આપ્યું, તેથી ગુપ્ત રીતે કોઈને મુહમ્મદ પાસે મોકલો, જેથી તે તમને તેમનો અભિપ્રાય આપી શકે, જો તે તમને જે ઇચ્છે છે તે આપે, તો તમે તેનો નિર્ણય સ્વીકારશો; અને જો તે તમને જે ઇચ્છે છે તે ન આપે, તો તમે તેને છોડી દેશો અને તેમને તમારી વચ્ચે ન્યાય કરવા ન દેશો". જ્યારે તે લોકો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે આવ્યા, તો અલ્લાહ તઆલાએ પયગંબરને તેની સંપૂર્ણ માહિતી અને તેમના હેતુઓની જાણ કરી દીધી અને આ આયત ઉતારી: {હે પયગંબર! તમે તે લોકો માટે ઉદાસ ન થશો, જેઓ કૂફરમાં ભાગદોડ કરી રહ્યા છે, તેમના માંથી કેટલાક તો એવા છે, જે જબાન વડે તો કહે છે કે અમે ઈમાન લાવ્યા} [અલ્ માઈદહ: ૪૧]. આ આયત સુધી: {અને જે અલ્લાહ તઆલાએ આપેલ આદેશ મુજબ નિર્ણય ન કરે તો આ લોકો જ અવજ્ઞાકારી લોકો છે} [અલ્ માઈદહ: ૪૭]. તો ફરી ઇબ્ને અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુમાએ કહ્યું: અલ્લાહની કસમ આ આયત તે બન્ને જૂથ વિશે ઉતારવામાં આવી, અને આયત આ જ બન્ને જૂથ વિશે છે: {અને જે લોકો અલ્લાહએ આપેલ આદેશો મુજબ નિર્ણય ન કરે, તો તે જ કાફિર છે} [અલ્ માઇદહ: ૪૪]. અને {...તે લોકો જ અત્યાચારી લોકો છે} [અલ્ માઇદહ: ૪૫]. અને {...અને તે લોકો જ વિદ્રોહી છે} [ અલ્ માઈદહ: ૪૭], અને આ આયત તે લોકો વિશે જ ઉતારવામાં આવી છે.