અબુ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત છે કરે છે કે નબી ﷺ એ કહ્યું: «તમે તમારા ઘરોને કબ્રસ્તાન ન બનાવો, નિઃશંક શૈતાન તે ઘરથી ભાગી જાય છે, જે ઘરમાં સૂરે બકરહ પઢવામાં આવતી હોય». સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) - આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
explain-icon

સમજુતી

નબી ﷺ એ તે વાતથી રોક્યા છે કે ઘરોમાં નમાઝ પઢવામાં ન આવતી હોય, તે ઘર કબ્રસ્તાન જેવા બની જાય છે, જ્યાં નમાઝ પઢવામાં નથી આવતી. નબી ﷺ એ જણાવ્યું કે શૈતાન તે ઘર માંથી ભાગી જાય છે, જે ઘરમાં સૂરે બકરહની તિલાવત કરવામાં આવતી હોય છે.

explain-icon

હદીષથી મળતા ફાયદા

  • નફિલ નમાઝ અને ઈબાદત વધુ પડતી ઘરોમાં કરવામાં આવે તો તે જાઈઝ છે.
  • કબ્રસ્તાનમાં નમાઝ પઢવી જાઈઝ નથી, કારણકે તે ગુલૂ (અતિશયોક્તિ) અને શિર્કનો સૌથી પ્રબળ સ્ત્રોત છે, હા, જનાઝાની નમાઝ પઢી શકાય છે.
  • સહાબાઓ પાસે તે વાત જાણીતી હતી કે નબી ﷺ એ કબરો પાસે નમાઝ પઢવાથી રોક્યા છે, એટલા માટે નબી ﷺ એ કહ્યું કે ઘરોને કબ્રસ્તાનની માફક ન બનાવો કે જ્યાં નમાઝ પઢવામાં ન આવે.
explain-icon

વધુ