ઉકબહ બિન આમિર રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: મને અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «મારા પર એવી આયતો ઉતરી -અથવા ઉતારવામાં- આવી છે કે આજ સુધી તેના જેવી આયતો જોઈ નથી, (અર્થાત્) મુઅવ્વઝતૈન». સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) - આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
explain-icon

સમજુતી

ઉકબહ બિન આમિર રઝી અલ્લાહુ અન્હુએ જણાવ્યું કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: આજે રાત્રે મારા પર એવી આયતો ઉતરી છે, જેના જેવી આયતો મેં ક્યારેય જોઈ નથી -પનાહ માંગવા બાબતે- તે બન્ને સૂરતો મુઅવ્વઝતૈન: સૂરે (કુલ્ અઊઝુ બિરબ્બિલ્ ફલક) અને સૂરે (કુલ અઊઝુ બિરબ્બિન્નાસિ.

explain-icon

હદીષથી મળતા ફાયદા

  • આ બન્ને સૂરતોની મહત્ત્વતાનું વર્ણન.
  • દરેક બુરાઈથી બચવા માટે આ સૂરતો દ્વારા પનાહ માંગવા પર ઉભાર્યા છે.
explain-icon

વધુ