આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ સતત કુરઆનની તિલાવત કરવા પર ઉભાર્યા છે, કારણકે તે કયામતના દિવસે તેના અમલ કરનાર લોકો માટે ભલામણ કરશે, ફરી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ ભારપૂર્વક બે ચમકતી સૂરતો સૂરે બકરહ અને આલિ ઈમરાનનું નામ લઈ પઢવાનું કહ્યું; તેના પ્રકાશ અને માર્ગદર્શનના કારણે, અને તેને પઢવા, અને તેમાં ચિંતન-મનન કરવાનો બદલો કયામતના દિવસે એ રૂપે આપવામાં આવશે કે તે બે વાદળ અથવા કોઈ અન્ય રૂપમાં આવશે, જેમકે તે પંખીઓના બે ટોળાં છે, જે પોતાની પાંખો ફેલાવી એકબીજા સાથે જોડાઈલા છે, જેથી પોતાના સાથીની રક્ષા કરશે. ફરી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ સૂરે બકરહ પઢવા અને તેના અર્થોમાં ચિંતન-મનન કરવા, અને તેમાં રહેલા આદેશો મુજબ અમલ કરવા પર ઊભાર્યા, અને તે પણ જણાવ્યું કે તેના દુનિયા અને આખિરતમાં ઘણા ફાયદા છે, અને તેને છોડવું કયામતના દિવસે અફસોસનું કારણ છે, એવી જ આ સૂરહની એક ખૂબી એ કે જાદુ તેને પઢનારને કોઈ નુકસાન નહીં પહોંચાડી શકે.