આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે તમારા કરતા પહેલા એક વ્યક્તિને ઘા થયો હતો, તેને તેનો દુઃખાવો સહન ન થયો અને તેના પર સબર પણ ન કરી શક્યો, તેણે એક ચાકુ લીધું, અને પોતાનો હાથ જ કાપી નાખ્યો, તેણે ઉતાવળ કરી અને લોહી સતત વહેવા લાગ્યું, જેથી તેનું મૃત્યુ થઈ ગયું, અલ્લાહ તઆલાએ કહ્યું: મારા બંદાએ મારી પાસે આવવા માટે ઉતાવળ કરી, તેના પર જન્નત હરામ થઈ ગઈ.