અનસ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે: અમે ઉમર રઝી અલ્લાહુ અન્હુ પાસે હતા, તે સમયે તેમણે કહ્યું: «અમને તકલ્લુફ કરવાથી અર્થાત્ કોઈ કારણ વગર તકલીફ ઉઠાવવાથી રોક્યા છે».
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) - આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
ઉમર રઝી અલ્લાહુ અન્હુ એ જણાવ્યું કે અલ્લાહના રસૂલ ﷺ એ અમને કોઈ એવું કામ અથવા કોઈ એવી વાત કહેવાથી રોક્યા છે જેના માટે જરૂરત વગર તકલીફ ઉઠાવવી પડે.
હદીષથી મળતા ફાયદા
આ હદીષમાં જે તકલ્લુફથી રોકીક છ, તેમ વધુ પ્રમાણેમાં સવાલ, એવું કામ કરવું જેની જાણકારી ન હોય અથવા કોઈ એવી કઠિનતા અપનાવવી અથવા લોકોને કઠિનતામાં નાખવા પણ શામેલ છે, જેમાં અલ્લાહ તઆલાએ સંપૂર્ણ સરળતા આપી હોય.
એક મુસલમાન માટે જરૂરી છે કે તે પોતાને ખુલ્લા દિલનો રાખે અને ખાવા-પીવા, વાતચીત કરવા અને એવી જ રીતે અન્ય દરેક વસ્તુઓમાં બીજ જરૂરી કષ્ટ ઉઠાવવાથી બચવું જોઈએ.