અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «ખોટા અનુમાન કરવાથી બચો; કારણકે અનુમાન ઘણી વખતે જૂઠા પડતા હોય છે, લોકોની ખામીઓ શોધતા ન ફરો, જાસૂસી ન કરો, ઈર્ષ્યા ન કરો, કોઈની પીઠ પાછળ તેની બુરાઈ ન કરો, એકબીજાથી નફરત ન કરશો, દરેક અલ્લાહના બંદાઓ અંદરો અંદર ભાઈભાઈ બનીને રહો». સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) - મુત્તફકુન્ અલયહિ
explain-icon

સમજુતી

આ હદીષમાં નબી ﷺ એ કેટલાક નકારાત્મક તત્વોથી બચવા તેમજ તેનાથી દૂર રહેવાનો આદેશ આપ્યો છે, જે તત્વો મુસલમાન વચ્ચે દુશ્મની અને જુદાઈનું કારણ બને છે, તેમાંથી: (અનુમાન) તે એક આરોપ હોય છે, જે કોઈ પુરાવા વગર દિલમાં ઉભરે છે, જણાવ્યું કે આ વસ્તુ ઘણી વખત જૂઠી હોય છે. (લોકોની ખામીઓ શોધતા ફરવું): આંખો અને કાન વડે લોકોની ખામીઓ પર નજર રાખવી. (જાસૂસી કરવી): છુપી રીતે કોઈનો ભેદ જાણવો, ઘણી વખત આ વસ્તુ બુરાઈને જન્મ આપે છે. (ઈર્ષ્યા): બીજાની નેઅમતોની પ્રાપ્તિ પર નાખુશ થવું. (પીઠ પાછળ બુરાઈ કરવી): એટલા માટે કે તેઓ એકબીજાથી મોઢું ફેરવી લે છે, સલામ નથી કરતા, અને મુસલમાન ભાઈની મુલાકાત પણ નથી લેતા. (નફરત કરવી): નાપસંદ કરવા, નફરત કરવી, બીજાને તકલીફ આપવી, ખોટી વાતો કરવી, ખરાબ વર્તન કરવુ. ફરી નબી ﷺ એ એક શ્રેષ્ઠ શબ્દ વર્ણન કર્યો, જે મુસલમાનોની સ્થિતિને સુધારા માટે ખૂબ જ જરૂરી છે: (તમે સૌ અલ્લાહના બંદા ભાઈભાઈ બનીને રહો) ભાઈચારો એક એવું બંધન છે, જે લોકોને એકબીજા સાથે જોડીને રાખે છે, અને તેમની વચ્ચે પ્રેમ અને મોહબ્બતને મજબૂત કરે છે.

explain-icon

હદીષથી મળતા ફાયદા

  • જે વ્યક્તિ પોતાની ખરાબ આદતોના કારણે નામચીન હોય તેના વિશે ખરાબ અનુમાન કરવું કંઈ વાંધો નથી, મોમિન વ્યક્તિએ ચતુર હોવું જોઈએ, તેઓએ દુરાચારી અને વિદ્રોહી લોકોની વાતોમાં ન આવવું જોઈએ.
  • અહીંયા તે પાપ (ગુનાહ) થી સાવેચત કરવામાં આવ્યા છે, જે દિલમાં બેસી જાય છે, જ્યારેત તે તેના પર અડગ રહે, પરંતુ જો દિલમાં કોઈ વાત આવે અને તેના પર અડગ ન રહે તો તેના માટે કોઈ ગુનોહ નથી.
  • મુસ્લિમ સમુદાય વચ્ચે જાસૂસી, ઈર્ષ્યા જેવા ખરાબ તત્વો દ્વારા વિવાદ ઉભો કરવા પર રોક લગાવી છે.
  • નસીહત અને સ્નેહમાં મુસલમાનો સાથે એક ભાઈ જેવું વર્તન કરવાની વસિયત.