આ હદીષમાં નબી ﷺ એ કેટલાક નકારાત્મક તત્વોથી બચવા તેમજ તેનાથી દૂર રહેવાનો આદેશ આપ્યો છે, જે તત્વો મુસલમાન વચ્ચે દુશ્મની અને જુદાઈનું કારણ બને છે, તેમાંથી: (અનુમાન) તે એક આરોપ હોય છે, જે કોઈ પુરાવા વગર દિલમાં ઉભરે છે, જણાવ્યું કે આ વસ્તુ ઘણી વખત જૂઠી હોય છે. (લોકોની ખામીઓ શોધતા ફરવું): આંખો અને કાન વડે લોકોની ખામીઓ પર નજર રાખવી. (જાસૂસી કરવી): છુપી રીતે કોઈનો ભેદ જાણવો, ઘણી વખત આ વસ્તુ બુરાઈને જન્મ આપે છે. (ઈર્ષ્યા): બીજાની નેઅમતોની પ્રાપ્તિ પર નાખુશ થવું. (પીઠ પાછળ બુરાઈ કરવી): એટલા માટે કે તેઓ એકબીજાથી મોઢું ફેરવી લે છે, સલામ નથી કરતા, અને મુસલમાન ભાઈની મુલાકાત પણ નથી લેતા. (નફરત કરવી): નાપસંદ કરવા, નફરત કરવી, બીજાને તકલીફ આપવી, ખોટી વાતો કરવી, ખરાબ વર્તન કરવુ. ફરી નબી ﷺ એ એક શ્રેષ્ઠ શબ્દ વર્ણન કર્યો, જે મુસલમાનોની સ્થિતિને સુધારા માટે ખૂબ જ જરૂરી છે: (તમે સૌ અલ્લાહના બંદા ભાઈભાઈ બનીને રહો) ભાઈચારો એક એવું બંધન છે, જે લોકોને એકબીજા સાથે જોડીને રાખે છે, અને તેમની વચ્ચે પ્રેમ અને મોહબ્બતને મજબૂત કરે છે.