આ હદીષમાં નબી ﷺ એ જણાવ્યું કે જે કોઈ વ્યક્તિ તેમના પર કોઈ વાત અથવા કોઈ કાર્ય વડે જુઠાણું બાંધે, તો આખિરતમાં તેનું ઠેકાણું જહન્નમ છે; કારણકે આ તેના તે કાર્યનો બદલો હશે જે તેણે નબી ﷺ તરફથી જૂઠી વાત નકલ કરી.
હદીષથી મળતા ફાયદા
જાણી જોઈને નબી ﷺ તરફથી જૂઠી વાતો કરવી તે જહન્નમમાં દાખલ થવાનું કારણ છે.
નબી ﷺ તરફથી જુઠ બોલવું તે સામાન્ય લોકો માટે જૂઠું બોલવા જેવું નથી; કારણકે તેના દ્વારા દીન અને દુનિયામાં ઘણી બુરાઈઓ ફેલાય છે.
નબી ﷺ દ્વારા વર્ણવેલ હદીષોને પુષ્ટિ કર્યા વગર, તેમજ તેની સચોટતા કર્યા વગર ફેલાવવા બાબતે સખત ચેતવણી.