હિશામ બિન્ હકીમ બિન્ હિઝામ રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે કે તેઓ શામમાં અન્બાત કબીલાના કેટલાક ખેડૂતો પાસેથી પસાર થયા, તેમને તડકામાં ઉભા રાખવામાં આવ્યા હતા, તેમણે કહ્યું: આ શું છે? તેઓએ કહ્યું: કર બાબતે તેમને કેદ કરી લેવામાં આવ્યા છે, હિશામ રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: હું સાક્ષી આપું છું કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને મેં કહેતા સાંભળ્યા: «અલ્લાહ એવા લોકોને અઝાબ આપશે, જેઓ લોકોને દુનિયામાં જ સજા આપે છે». સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) - આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
explain-icon

સમજુતી

હિશામ બિન હકીમ બિન હિઝામ રઝી અલ્લાહુ અન્હુમા શામ શહેરમાં કેટલાક અન્બાત કબીલાના ખેડૂતો પાસેથી પસાર થયા, જેમને તડકામાં ઉભા રાખવામાં આવ્યા હતા, તેમણે પૂછ્યું આ શું છે? તે લોકોએ જણાવ્યું કે તેમને સક્ષમ હોવા છતાંય કર ન ભરવાના કારણે આ સજા આપવામાં આવી રહી છે. હિશામ રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: હું સાક્ષી આપું છું કે મેં અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને કહેતા સાંભળ્યા: ખરેખર જે લોકો દુનિયામાં લોકો પર અત્યાચાર કરતા તેમને સજા આપશે, અલ્લાહ તઆલા તેમને અઝાબ આપશે.

explain-icon

હદીષથી મળતા ફાયદા

  • જિઝિયા (કર) નો અર્થ: ઇસ્લામની ભૂમિમાં તેમના રક્ષણ અને નિવાસના બદલે અહલે કિતાબના માલદારો અને પુખ્તવય પુરુષો પર લાગ્ય કરવામાં આવતા પૈસા.
  • શરીઅત પ્રમાણે કોઈ કારણ વગર લોકોને અહીં સુધી કે કાફિરને પણ સજા આપવી હરામ છે.
  • અત્યાચાર કરનારે જુલમ કરવાથી રુકી જવું જોઈએ.
  • આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના સહાબા ભલાઈનો આદેશ આપતા અને બુરાઈથી રોકતા હતા.
  • ઈમામ નવવી રહિમહુલ્લાહએ કહ્યું: આ હદીષ કારણ વગર સજા આપવાનું ખંડન કરે છે, આ હદીષમાં કાયદેસર આપવામાં આવતી સજા, જેવી કે કિસાસ, સીમાઓનું ઉલ્લંઘન, ચેતવણી જેવા આદેશોનો સમાવેશ થતો નથી.