અબ્દુલ્લાહ બિન મસ્ઊદ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જે વ્યક્તિ ફક્ત મુસલમાનોના માલ હડપ કરવા માટે જૂઠી સોગંદ લે, તો તે અલ્લાહ સાથે એ સ્થિતિમાં મુલાકાત કરશે કે અલ્લાહ તેના પર સખત ગુસ્સે હશે», રિવાયત કરનારે કહ્યું: અશ્અષ રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: અલ્લાહની કસમ! મારા અને એક યહૂદી વ્યક્તિ વચ્ચે જમીન બાબતે ઝગડો હતો, તેણે ઇન્કાર કર્યો, તો તેણે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સમક્ષ કેસ રજૂ કર્યો, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «શું તમારી પાસે કોઈ સાક્ષી છે?» મેં કહ્યું: ના, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ યહૂદીને કહ્યું: «શું તું સોગંદ ખાઈ છે?», તો મેં કહ્યું: હે અલ્લાહના પયગંબર! ત્યારે તો આ જૂઠી કસમ લઈ મારો માલ હડપી લેશે, તો અલ્લાહ તઆલાએ આ આયત ઉતારી: {નિઃશંક જે લોકો અલ્લાહ તઆલાના વચન અને પોતાની સોગંદોને નજીવી કિંમતે વેચી નાખે છે તેઓ માટે આખિરતમાં કોઇ ભાગ નથી, અલ્લાહ તઆલા ન તો તેઓ સાથે વાતચીત કરશે, ન તો તેઓની તરફ કયામત ના દિવસે જોશે, ન તો તેઓને પવિત્ર કરશે અને તેઓ માટે દુઃખદાયી અઝાબ છે.} સંપૂર્ણ આયત. સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) - મુત્તફકુન્ અલયહિ
explain-icon

સમજુતી

આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જૂઠા સોગંદ લેવા પર ચેતવણી આપી છે કે અન્ય વ્યક્તિના માલને અન્યાયી રૂપે હડપ કરવા માટે જૂઠું બોલે, બસ જ્યારે આ પ્રકારનો વ્યક્તિ અલ્લાહ સાથે મુલાકાત કરશે તો અલ્લાહ તેની સાથે નારાજ હશે, ફરી અશ્અષ બિન કૈસ રઝી અલ્લાહુ અન્હુએ જણાવ્યું કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ આ વાત ત્યારે જણાવી કે જ્યારે તેમના અને એક યહૂદી વચ્ચે એક જમીન બાબતે ઝધડો થઈ ગયો હતો, તે બંને પોતાનો કેસ લઈ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમપાસે આવ્યા, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ અશ્અષ રઝી અલ્લાહુ અન્હુ ને કહ્યું: તમારે તમારી વાતની પુષ્ટિ માટે પુરાવો આપવો પડશે, જો તમે આમ કરવામાં અસક્ષમ છો, તો તમારા વિરોધી પાસે સોગંદ લેવામાં આવશે, તો અશ્અષે કહ્યું: હે અલ્લાહના પયગંબર! આમ તો આ યહૂદી વ્યક્તિ સોગંદ ખાઇ મારો માલ હડપી લેશે, તો અલ્લાહ તઆલાએ આ વાતના પુરાવા માટે કુરઆનમાં આયત ઉતારી: {નિઃશંક જે લોકો વેપાર કરે છે} અદલા બદલી કરે છે {અલ્લાહ તઆલાના વચન દ્વારા}, મોમિનો માટે અમાનત આપવા બાબતે વસીયત, {અને પોતાની સોગંદોને} અલ્લાહના નામ પર તેમણે લીધેલી જૂઠી સોગંદો, {નજીવી કિંમતે} દુનિયાના ફાયદાનાં કારણે, {તેઓ માટે આખિરતમાં કોઇ ભાગ નથી} કોઈ હિસ્સો નથી, {અલ્લાહ તઆલા ન તો તેઓ સાથે વાતચીત કરશે} એવા શબ્દો વડે જે તેમને આનંદ અને લાભ આપે, પરંતુ તે તેમનાથી ગુસ્સે હશે, {ન તો તેઓની તરફ કયામતના દિવસે જોશે} રહેમત અને કૃપાની નજર વડે, {ન તો તેઓને પવિત્ર કરશે} સારા વખાણ દ્વારા, અને ન તો તેમના ગુનાહો અને ગંદકીઓને માફ કરી તેમને પાક કરશે, {અને તેઓ માટે દુ:ખદાયી અઝાબ છે} તેઓના ખરાબ કૃત્યોના બદલે તેમના દુ:ખદાયી અઝાબ હશે.

explain-icon

હદીષથી મળતા ફાયદા

  • અયોગ્ય રીતે લોકોના માલ હડપી લેવા બાબતે પ્રતિબંધતાનું વર્ણન.
  • મુસલમાનોના અધિકારો બાબતે કડક પ્રતિબંધ, ભલે તે થોડા હોય કે વધારે.
  • દાવેદાર માટે પુરાવો રજૂ કરવો છે અને પ્રતિવાદી પર સોગંદ લેવી છે તે નકારે.
  • બે સાક્ષીઓ દ્વારા પુરાવો સાબિત થશે, જો દાવેદાર પાસે પુરાવો ન હોય તો પ્રતિવાદી પાસે સોગંદ લેવામાં આવશે.
  • (ગમૂસ) સોગંદ લેવાની પ્રતિબંધતાનું વર્ણન, જે બીજાના અધિકારો હડપ કરવા માટે ખોટી સોગંદ લેવામાં આવે છે, અને તે મોટા ગુનાહો માંથી છે, આમ કરનારને અલ્લાહના પ્રકોપ અને તેની સજાનો સામનો કરવો પડશે.
  • પ્રતિવાદી માટે આગેવાનની શિખામણ, ખાસ કરીને જ્યારે તે સોગંદ ખાતો હોય.