આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જૂઠા સોગંદ લેવા પર ચેતવણી આપી છે કે અન્ય વ્યક્તિના માલને અન્યાયી રૂપે હડપ કરવા માટે જૂઠું બોલે, બસ જ્યારે આ પ્રકારનો વ્યક્તિ અલ્લાહ સાથે મુલાકાત કરશે તો અલ્લાહ તેની સાથે નારાજ હશે, ફરી અશ્અષ બિન કૈસ રઝી અલ્લાહુ અન્હુએ જણાવ્યું કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ આ વાત ત્યારે જણાવી કે જ્યારે તેમના અને એક યહૂદી વચ્ચે એક જમીન બાબતે ઝધડો થઈ ગયો હતો, તે બંને પોતાનો કેસ લઈ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમપાસે આવ્યા, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ અશ્અષ રઝી અલ્લાહુ અન્હુ ને કહ્યું: તમારે તમારી વાતની પુષ્ટિ માટે પુરાવો આપવો પડશે, જો તમે આમ કરવામાં અસક્ષમ છો, તો તમારા વિરોધી પાસે સોગંદ લેવામાં આવશે, તો અશ્અષે કહ્યું: હે અલ્લાહના પયગંબર! આમ તો આ યહૂદી વ્યક્તિ સોગંદ ખાઇ મારો માલ હડપી લેશે, તો અલ્લાહ તઆલાએ આ વાતના પુરાવા માટે કુરઆનમાં આયત ઉતારી: {નિઃશંક જે લોકો વેપાર કરે છે} અદલા બદલી કરે છે {અલ્લાહ તઆલાના વચન દ્વારા}, મોમિનો માટે અમાનત આપવા બાબતે વસીયત, {અને પોતાની સોગંદોને} અલ્લાહના નામ પર તેમણે લીધેલી જૂઠી સોગંદો, {નજીવી કિંમતે} દુનિયાના ફાયદાનાં કારણે, {તેઓ માટે આખિરતમાં કોઇ ભાગ નથી} કોઈ હિસ્સો નથી, {અલ્લાહ તઆલા ન તો તેઓ સાથે વાતચીત કરશે} એવા શબ્દો વડે જે તેમને આનંદ અને લાભ આપે, પરંતુ તે તેમનાથી ગુસ્સે હશે, {ન તો તેઓની તરફ કયામતના દિવસે જોશે} રહેમત અને કૃપાની નજર વડે, {ન તો તેઓને પવિત્ર કરશે} સારા વખાણ દ્વારા, અને ન તો તેમના ગુનાહો અને ગંદકીઓને માફ કરી તેમને પાક કરશે, {અને તેઓ માટે દુ:ખદાયી અઝાબ છે} તેઓના ખરાબ કૃત્યોના બદલે તેમના દુ:ખદાયી અઝાબ હશે.