ઉમર બિન ખત્તાબ રઝી અલ્લાહુ અન્હુએ જણાવ્યું કે નબી ﷺ એ એક વ્યક્તિને જ્યારે તેને વઝૂ પૂર્ણ કર્યું ત્યારે જોયું કે તેણે તેના પગમાં એક નખ જેટલી જગ્યા છોડી દીધી છે, જ્યાં વઝૂનું પાણી પહોંચ્યું ન હતું. તો નબી ﷺ એ તે જગ્યા તરફ ઈશારો કરી કહ્યું: જાઓ અને સારી રીતે વઝૂ કરો, અને તેને પૂર્ણ કરો, અને દરેક અંગને તેના હક પ્રમાણે સંપૂણ પાણી આપો, તે વ્યક્તિ પાછો ફરી ગયો, પોતાનું વઝૂ પૂર્ણ કર્યું પછી નમાઝ પઢી.