નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) ને એક એવા અમલ વિશે સવાલ કરવામાં આવ્યો, જે જન્નતમાં દાખલ થવાનું કારણ હોય, અથવા અલ્લાહની નજીક તે અમલ પ્રિય હોય? સવાલ કરનારને નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ જવાબ આપ્યો, નમાઝમાં વધુ પ્રમાણમાં સિજદો કરતા રહો, એટલા માટે કે તમારા દરેક સિજદાના બદલામાં તમારા દરજ્જા બુલંદ કરવામાં આવે છે, અને તમારા ગુનાહ માફ થાય છે.