નબી ﷺ એ જણાવ્યું કે ઈમાનની ઘણી શાખાઓ અને લક્ષણો છે, જેમાં દરેક અમલ, માન્યતા (અકીદહને લગતી બાબતો) અને વાતોનો સમાવેશ થાય છે. ઈમાનની સૌથી ઉચ્ચ અને શ્રેષ્ઠ શાખા લા ઇલાહ ઇલ્ લલ્લાહ કહેવું, તેનો અર્થ જાણી તેની સમજૂતી પ્રમાણે અમલ કરવો, તે એ કે અલ્લાહ જ ઇલાહ (પૂજ્ય) છે અને તે એકલો જ છે, જે ઈબાદતને લાયક છે, તેના સિવાય કોઈ ઈબાદતને લાયક નથી. અને ઇમાનનો સૌથી નીચો દરજજો રસ્તા વચ્ચેથી તકલીફ આપતી વસ્તુને દૂર કરવી છે. પછી નબી ﷺ એ જણાવ્યું કે હયા પણ ઇમાનની શાખા માંથી છે, અને તે એ કે દરેક સુંદર આદતોને અપનાવવી આવે અને દરેક દુષ્ટ કાર્યોથી બચવું.