ઈબ્ને ઉમર રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે કે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «ખરેખર કુરઆન યાદ કરનારનું ઉદાહરણ દોરડા વડે બાંધેલા ઊંટ જેવુ છે, જો તેનું ધ્યાન રાખશે, તો તેના પર કાબૂ કરી રાખશે, અને જો છોડી દે શો તો તે જતું રહેશે». સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) - મુત્તફકુન્ અલયહિ
explain-icon

સમજુતી

નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કુરઆનને વાંચનાર, તેની તિલાવત કરનાર, -ભલે તે કુરઆન જોઈને પઢે અથવા પોતાની યાદશક્તિ પ્રમાણે મોઢે પઢે- નું ઉદાહરણ ઊંટ બાંધનાર સાથે કર્યું છે, જેમકે ખૂંટી સાથે ઊંટના દોરડા બાંધેલા છે, જો તે તેને પકડી રાખશે, તો તે જળવાઈ રહેશે, અને જો છોડી દેશે તો તેઓ જતાં રહેશે, એવી જ રીતે જો કુરઆનને પઢતો રહેશે, તો તેને યાદ રહેશે, અને જો પઢવાનું છોડી દેશે તો ભૂલી જશે, જ્યાં સુધી પઢવાનું ચાલુ રહેશે ત્યાં સુધી કુરઆન યાદ રહેશે.

explain-icon

હદીષથી મળતા ફાયદા

  • કુરઆનને સતત પઢતા રહેવા અને તેની તિલાવત કરવા પર ઉભાર્યા છે અને તેને (યાદ કરી) ભૂલી જવાથી સચેત કર્યા છે.
  • સતત કુરઆનની તિલાવત કરવાથી જુબાન નરમ થઈ જાય છે અને તેની તિલાવત સરળ થઈ જાય છે અને જો તેમાં આળસ કરવામાં આવે તો તિલાવત મુશ્કેલ અને ભારે થઈ જાય છે.
  • ઈમામ કાઝી રહિમહુલ્લાહએ કહ્યું: "કુરઆનને ઉઠાવનાર" નો અર્થ: તેની સાથે મોહબ્બત કરનાર, અલ્ મુસાહબહ: તેની સાથે જોડાયેલ રહેનાર: ફલાણો ફલાણી જોડે છે, અને જન્નતના લોકો, જહન્નમના લોકો.
  • ઉદાહરણને ઉપયોગ દઅવત આપવાના તરીકાઓ માંથી છે.
  • ઈમામ ઈબ્ને હજર રહિમહુલ્લાહએ કહ્યું: અહીંયા ખાસ કરીને ઊંટોનું વર્ણન એટલા માટે કરવામાં આવ્યું, કારણ કે તે પાલતુ જાનવરો માંથી સૌથી અઘરું જાનવર છે, એક વખત જો તે સ્વતંત્ર થઈ થઈ જાય, તો તેના પર બીજી વખત નિયંત્રણ મેળવવું પડકાર જનક છે.