નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કુરઆનને વાંચનાર, તેની તિલાવત કરનાર, -ભલે તે કુરઆન જોઈને પઢે અથવા પોતાની યાદશક્તિ પ્રમાણે મોઢે પઢે- નું ઉદાહરણ ઊંટ બાંધનાર સાથે કર્યું છે, જેમકે ખૂંટી સાથે ઊંટના દોરડા બાંધેલા છે, જો તે તેને પકડી રાખશે, તો તે જળવાઈ રહેશે, અને જો છોડી દેશે તો તેઓ જતાં રહેશે, એવી જ રીતે જો કુરઆનને પઢતો રહેશે, તો તેને યાદ રહેશે, અને જો પઢવાનું છોડી દેશે તો ભૂલી જશે, જ્યાં સુધી પઢવાનું ચાલુ રહેશે ત્યાં સુધી કુરઆન યાદ રહેશે.