આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ અલ્લાહની નિકટતા પ્રાપ્ત કરવા માટે મસ્જિદના ખૂણે એઅતિકાફમાં બેઠા, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કેટલાંક લોકોને ઊંચા અવાજે કુરઆન મજીદની તિલાવત કરતા સાંભળ્યા, જેના દ્વારા અન્ય લોકોને તકલીફ થઈ રહી હતી. આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ પડદો હટાવ્યો અને તેમને આ કામ પર ટોકયા અને ગુસ્સે થયા અને કહ્યું: તમારા માંથી દરેક કુરઆન મજીદની તિલાવત કરી પોતાના પાલનહારને પોકારે, તો ઊંચા અવાજે ન પોકારે અને એકબીજાને તકલીફ પણ ન આપે, અને તિલાવત કરતા અથવા નમાઝ પઢતી વખતે અવાજ ઉંચો ન કરે.