આયશા રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે, તેઓ કહે છે કે: નબી ﷺ દરેક સ્થિતિમાં અલ્લાહનો ઝિક્ર (અલ્લાહના વખાણ) કરતા હતા.
સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) - Al-Bukhari as Mu‘allaq/hanging, with a decisive form
આયશા રઝી અલ્લાહુ અન્હા કહે છે કે અલ્લાહના રસૂલ ﷺ અલ્લાહનો ઝિક્ર બાબતે ખૂબ જ ઉત્સુક હતા, દરેક સમયે, દરેક જગ્યાએ અને દરેક સ્થિતિમાં અલ્લાહનો ઝિક્ર કરતા હતા.
હદીષથી મળતા ફાયદા
અલ્લાહના ઝિક્ર માટે નાની અથવા મોટી ગંદકીથી પાકી લેવી શરત નથી.
નબી ﷺ નિયમિત રીતે અલ્લાહ તઆલાનો ઝિક્ર કરતાં હતા.
અલ્લાહના રસૂલનું અનુસરણ કરતા દરેક સમયે અને દરેક સ્થિતિમાં અલ્લાહનો ઝિક્ર કરતા રહેવું જોઈએ, ફક્ત તે જગ્યાએ ઝિક્ર ન કરવો જોઈએ, જેની શરીઅતમાં રોક લગાવી છે, ઉદાહરણ તરીકે, સંડાસ કરતી વખતે.