આ હદીષમાં નબીﷺ જણાવી રહ્યા છે કે બની ઇસ્રાઇલના પયગંબરો તેમના પર રાજ કરતા હતા અને તેઓ તેમની બાબતો એવી રીતે ખ્યાલ કરતા જેવું કે એક ગર્વનર અને રાજા પોતાની પ્રજાની કરતા હોય છે, જ્યારે પણ તે લોકો વચ્ચે ભ્રષ્ટાચાર ફેલાતો, તો અલ્લાહ તેમની તરફ તેમની બાબત અને મામલો સુધારવા માટે એક પયગંબરને મોકલી દેતો હતો. અને એ પણ જણાવ્યું કે મારા પછી કોઈ નબી નહીં આવે, તે પણ તે જ કરશે, જે પહેલાના નબીઓ કરતા હતા, મારા ઘણા નાયબ હશે, તેમની વચ્ચે વિવાદ અને તણાવ રહેશે. સહાબા રઝી અલ્લાહુ અન્હુમએ સવાલ કર્યો: હે અલ્લાહના રસૂલ! તે સમયે તમે અમને શું આદેશ આપો છો? તો આપ ﷺએ કહ્યું: જો કોઈ ખલીફાને બીજા ખલીફા પછી વફાદારીની પ્રતિજ્ઞા આપવામાં આવે, તો પ્રથમની પ્રતિજ્ઞા માન્ય છે અને તેનું સન્માન કરવું જરૂરી છે, જ્યારે બીજાની પ્રતિજ્ઞા અમાન્ય છે, અને તેના માટે તે લેવી પ્રતિબંધિત છે, તેમને તેમના યોગ્ય અધિકારો આપો, તેમની આજ્ઞાનું પાલન કરો, અને તેમની સાથે તેમની વાત સાંભળી અને પાલન કરી જીવન પસાર કરો, સિવાય એ કે જેમાં અલ્લાહની અવજ્ઞાનો સમાવેશ થતો હોય, તો તેમની આજ્ઞાનું પાલન કરશો નહીં, કારણ કે અલ્લાહ તેમને પૂછશે અને તેઓ તમારી સાથે જે કરે છે તેના માટે તેમને જવાબદાર ઠેરવશે.