એક વખત મોમિનોની માતા આયશા રઝી અલ્લાહુ અન્હા પાસેથી હૌલા બિન્તે તુવૈત બેઠા હતા, એટલામાં જ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આયશા રઝી અલ્લાહુ અન્હા પાસે આવ્યા. તો આયશા રઝી અલ્લાહુ અન્હાએ કહ્યું: આ તે સ્ત્રી છે, જે રાત્રે સૂતા નથી અને સંપૂર્ણ રાત નમાઝ પઢે છે. તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેમને પોતાના પર કઠિનતા અપનાવવા પર નિંદા કરતા કહ્યું: રાત્રે ઊંઘ ન આવે તો પોતાની શક્તિ પ્રમાણે સત્કાર્યો કરો, જેને તમે કાયમી કરી શકતા હોવ, અલ્લાહની કસમ! અલ્લાહ પોતાના બંદાઓને તેની નેકીઓનો બદલો, વળતર અને સવાબ આપતા નથી થાકતો, પરંતુ બંદો સત્કાર્યો કરતા કરતા થાકીને તે કાય કરવાનું છોડી દેશે.