આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ એક લશ્કર મોકલ્યું, અને અન્સારના એક વ્યક્તિને તેમના પ્રમુખ બનાવ્યા, અને તેમનું અનુસરણ કરવાનો આદેશ આપ્યો, (રસ્તામાં) પ્રમુખ ગુસ્સે થયા, અને કહ્યું: શું આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ મારું અનુસરણ કરવાનો આદેશ નથી આપ્યો? તો લોકોએ કહ્યું: કેમ નહીં, તો હું તમને આદેશ આપું છું કે તમે મારા માટે લાકડીઓ ભેગી કરો, અને આગ સળગાવો અને પછી તેમાં દાખલ થઈ જાઓ, લાકડીઓ ભેગી કરવામાં આવી, આગ સળગાવવામાં આવી, જ્યારે અંદર દાખલ થવાની વાત આવી તો દરેક એકબીજાને જોવા લાગ્યા. લોકોએ કહ્યું: અમે તો જહન્નમથી બચવા માટે તો આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમનું અનુસરણ કર્યું, અને અમે જહન્નમમાં જ દાખલ થઈ જઇએ? આ વાતચીત દરમિયાન આગ ઠંડી થઈ ગઈ અને પ્રમુખનો ગુસ્સો પણ ઠંડો પડી ગયો. જ્યારે આ સંપૂર્ણ વાતની જાણ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને જણાવવામાં આવી, તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: જો તેઓ તેનું અનુસરણ કરી લેતા અને તે સળગાવેલી આગમાં કૂદી પડતા, તો જ્યાં સુધી દુનિયા કાયમ છે, તેઓ બહાર ન નીકળી શકતા, એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે જે કાર્યમાં અલ્લાહની અવજ્ઞા થતી હોય, તે પ્રમુખની વાત માનવાની જરૂર નથી, નેકીના કામોમાં અનુસરણ જરૂરી છે, ગુનાહના કામોમાં નહીં.