મુસલમાનોના અમીર ઉષ્માન બિન અફ્ફાન રઝી અલ્લાહુ અન્હુ જ્યારે પણ કબર પાસે ઉભા રહેતા ખૂબ રડતા અહીં સુધી કે તેમના આંસુઓથી તેમની દાઢી લીલી થઈ જતી, તો તેમને પૂછવામાં આવ્યું: જ્યારે જન્નત અને જહન્નમનું વર્ણન થાય છે તો તમે જન્નતની પ્રાપ્તિ માટે અને જહન્નમના ભયથી એટલા નથી રડતા, જેટલા કબર પર રડો છો? તો ઉષમાન રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: ખરેખર નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: કબર આખિરતની મંજિલો માંથી સૌથી પહેલી મંજિલ છે, જે વ્યક્તિને ત્યાં છુટકારો મળી ગયો તો આવનારી દરેક મંજિલ તેના માટે આસાન થઈ જશે અને જો ત્યાં તેને અઝાબથી છુટકારો ન મળ્યો; તો તેના પછી દરેક મંજિલ પર સજા અને પકડ સખત થશે.