આ હદીષમાં નબી ﷺએ તે વ્યક્તિ માટે દુનિયામાં આનંદ, તાજગી અને ભલાઈની દુઆ કરી છે, અને તે પણ દુઆ માંગી કે અલ્લાહ તેને આખિરતમાં જન્નતની નેઅમતો અને આનદમાં પહોંચાડે; કારણકે તેણે હદીષ સાંભળી, તેને યાદ કરી અહીં સુધી કે તેને બીજા સુધી પહોંચાડી, ક્યારેક જેના સુધી હદીષ નકલ કરી પહોંચાડવામાં આવી છે, ક્યારેક તે હદીષ નકલ કરનાર કરતાં ચપળ, સમજદાર, અને આદેશોને કાઢવામાં વધુ સક્ષમ હોય શકે છે, બસ પહેલો વ્યક્તિ યાદ કરવામાં અને નકલ કરવામાં સક્ષમ છે અને બીજો તેણે સમજવા અને તાના દ્વારા ફાયદો ઊઠવવામાં અને તેના દ્વારા આદેશો કાઢવામાં વધુ સક્ષમ છે.