આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે દરેક મુસલમાન વ્યક્તિની સલવાર અથવા તે દરેક વસ્તુ જે તેના પેટનો નીચેની ભાગ છુપાવતી હોય, તેની ત્રણ સ્થિતિ છે: પહેલી: અડધી પિંડલી સુધી સલવાર હોવી મુસ્તહબ (યોગ્ય) છે. બીજી: જે કોઈ અવરોધ વગર જાઈઝ છે, અને એ કે કપડું ઘૂંટી સુધી હોય; તે બન્ને હાડકાં જે ઘૂંટી અને પિંડલી પર સાથે સ્પષ્ટ દેખાય છે. ત્રીજી: હરામ એ કે ઘૂંટીથી નીચે લટકાવીને રાખવું, તેનાથી ડરવું જોઈએ કારણકે તે ભાગ આગમાં હશે, અને જો ઘૂંટી નીચે કપડું ઘમંડ કરતા, ઇતરાવીને તેમજ વિદ્રોહ કરતા પહેરવામાં આવશે તો અલ્લાહ તેમના તરફ નહીં જુએ.