અનસ બિન માલિક રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે છે કે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «ખરેખર જન્નતમાં એક બજાર છે, જ્યાં જન્નતીઓ દર શુક્રવારે જશે, તે સમયે ઉત્તર દિશા બાજુ હવા ચાલશે, જે તેમના ચહેરા અને કપડાં પર ધૂળ નાખી દેશે, જેના કારણે તેઓ વધુ સુંદર થઈ જશે, ફરી જ્યારે તેઓ પોતાના પરિવાર પાસે પાછા ફરશે, તો તેમના પરિવાર વાળા કહેશે: અલ્લાહની કસમ! તમે તો જઈને આવ્યા પછી વધુ સુંદર થઈ ગયા છો, તો તેઓ પણ કહેશે: અલ્લાહની કસમ! તમે પણ અમારા પછી વધુ સુંદર થઈ ગયા છો». સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) - આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે
explain-icon

સમજુતી

આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે જન્નતમાં એક જગ્યા છે, જ્યાં જન્નતીઓના બજાર થશે, તે વેચાણ માટે નથી, પરંતુ તેઓ જે ઇચ્છશે તે લઈ લેશે, તેઓ અઠવાડિયામાં એક દિવસ ત્યાં જશે અને અઠવાડિયા માટે પૂરતું ત્યાંથી લેશે, તો ઉત્તર બાજુ હવા ચાલશે, જે તેમના કપડાં અને ચહેરાને તાજા કરી દેશે, જેથી તેમની સુંદરતા વધી જશે, ફરી તેઓ વધુ સુંદર થઈ પોતાન પરિવાર વાળા તરફ પાછા ફરશે, તો તેમના પરિવાર વાળા તેમને કહેશે: અલ્લાહની ક્સમ! તમે તો અમારા પછી ખૂબ જ સુંદર લાગો છો, તો તેઓ પણ કહેશે; અલ્લાહની કસમ! તમે પણ અમારા પછી ખૂબ જ સુંદર થઈ ગયા.

explain-icon

હદીષથી મળતા ફાયદા

  • જન્નતીઓની અપાર સુંદરતાનું વર્ણન.
  • આ પ્રકારની હદીષો માનવીને સત્કાર્યો કરવા તરફ આકર્ષિત કરે છે, જેથી આ તે સ્થાન પ્રાપ્ત કરે.
  • ઉત્તરી દિશાની હવાનું વર્ણન ખાસ એટલા માટે કરવામાં આવ્યું; કારણકે અરબના લોકો પાસે સૌથી સારી હવા માનવામાં આવતી હતી, જે ભલાઈ અને વરસાદ લઈને આવે છે.
  • જન્નત અને તેની નેઅમતોનો ઉલ્લેખ કરી અલ્લાહ તરફ દઅવત આપવા પર પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.