કેટલાક સહાબાઓએ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને સવાલ કર્યો, અમે ખાવાનું ખાઇએ છીએ પરંતુ અમે તેનાથી સંતુષ્ટ થતા નથી. તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસ્સલમએ કહ્યું: કદાચ તમે અલગ અલગ બેસી ખાતા હશો; શું તમે એકલા બેસીને ખાવ છો? સહાબાઓએ કહ્યું: હા. આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: ભેગા બેસીને ખાઓ, અલગ અલગ ન ખાઓ, ખાતી વખતે અલ્લાહનું નામ પણ લો, અર્થાત્: બિસ્મિલ્લાહ કહો, અલ્લાહ તમને તેમાં બરકત આપશે અને તમે સંતુષ્ટ પણ થઈ જશો.