વહશી બિન્ હર્બ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે: સહાબાઓએ કહ્યું: હે અલ્લાહના પયગંબર! અમે ખાવાનું ખાઈએ છીએ પરંતુ તેનાથી સંતુષ્ટ થતા નથી, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «કદાચ તમે અલગ અલગ ખાતા હશો»? સહાબાઓએ કહ્યું: હા, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «એક સાથે ભેગા બેસી ખાઓ અને અલ્લાહનું નામ લો, તેમાં તમારા માટે બરકત કરવામાં આવશે». હસન - આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ ઈમામ ઈબ્ને માજહ રહિમહુલ્લાહ અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે
explain-icon

સમજુતી

કેટલાક સહાબાઓએ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને સવાલ કર્યો, અમે ખાવાનું ખાઇએ છીએ પરંતુ અમે તેનાથી સંતુષ્ટ થતા નથી. તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસ્સલમએ કહ્યું: કદાચ તમે અલગ અલગ બેસી ખાતા હશો; શું તમે એકલા બેસીને ખાવ છો? સહાબાઓએ કહ્યું: હા. આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: ભેગા બેસીને ખાઓ, અલગ અલગ ન ખાઓ, ખાતી વખતે અલ્લાહનું નામ પણ લો, અર્થાત્: બિસ્મિલ્લાહ કહો, અલ્લાહ તમને તેમાં બરકત આપશે અને તમે સંતુષ્ટ પણ થઈ જશો.

explain-icon

હદીષથી મળતા ફાયદા

  • ભેગા બેસી ખાવું, બિસ્મિલ્લાહ પઢી ખાવું, તે ખાવામાં બરકત અને સંતુષ્ટ થવાનું કારણ છે.
  • વિભાજન સંપૂર્ણ રીતે ખરાબ છે અને એકતામાં ભલાઈ છે.
  • આ હદીષમાં ભેગા બેસીને ખાવા તેમજ બિસ્મિલ્લાહ પઢીને ખાવા પર પ્રોત્સાહિત કર્યા છે.
  • ઈમામ સિન્દી રહિમહુલ્લાહએ કહ્યું: ભેગા બેસીને ખાવાથી ખાવામાં બરકત ઉતરે છે અને અલ્લાહનું નામ લેવાથી શૈતાન ખોરાક સુધી પહોંચતો જ નથી.