આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કેટલાક અદબો જણાવ્યા: માનવી પેશાબ કરતી વખતે પોતાના શિશ્નને જમણા હાથ વડે ન પકડે, અને ન તો હાજત પૂરી કર્યા પછી આગળ કે પાછળની ગંદકીને પોતાના જમણા હાથ વડે સાફ કરે, કારણકે જમણા હાથને સારા કામો માટે બનાવવામાં આવ્યો છે, એવી જ રીતે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ માનવીને પાણી પીતી વખતે વાસણમાં શ્વાસ લેવાથી પણ રોક્યો છે.