આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જણાવી રહ્યા છે કે ખુશ કરવાવાળા સારા સપના અલ્લાહ તરફથી હોય છે, અને તે સપના જે નાપસંદ હોય, અથવા દુ:ખી કરે તે શૈતાન તરફથી હોય છે. બસ જ્યારે કોઈ વ્યક્તિ ખરાબ સપનું જુઓ તો પોતાની ડાબી બાજુ થૂંકે અને શૈતાનની બુરાઈથી પનાહ માંગે; આમ કરવાથી તેને નુકસાન નહીં પહોંચે, જેને અલ્લાહ તઆલાએ તેને તે વસ્તુના પરિણામે સુરક્ષાનું કારણ બનાવ્યું છે.