આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે ઊંઘમાં સારું અને ખુશ કરી દે, એવું સપનું આવે તો તે અલ્લાહ તરફથી હોય છે, તેના વિશે અલ્લાહએ માર્ગદર્શન આપ્યું છે, બસ તેના પર અલ્લાહના વખાણ કરો અને અન્યને પણ તેના વિષે જણાવી શકો છો, અને જ્યારે કોઈ વ્યક્તિ નાપસંદ અને દુ:ખદાયી સપનું જુએ તો તે શૈતાન તરફથી છે; બસ તેની બુરાઈથી અલ્લાહ પાસે પનાહ, માંગે, અને કોઇની સમક્ષ તેના વિશે ચર્ચા ન કરે, તેનાથી તેને કોઈ નુકસાન નહીં પહોંચે, જેમકે જે વસ્તુ તેનાથી બચવા માટે અલ્લાહએ વર્ણન કરી છે, તે સપનાના પરિણામે થતાં નુકસાનથી બચવા માટે મદદરૂપ થશે.