નબી ﷺની પત્ની ઉમ્મુલ્ મુઅમિનીન આયશા રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે: આપ ﷺ રમઝાનના છેલ્લા અશરામાં એઅતિકાફ કરતા હતા, અહીં સુધી કે અલ્લાહએ આપને મૃત્યુ આપ્યું, ત્યારબાદ આપ ﷺની પત્નીઓ પણ એઅતિકાફ કરતી હતી. સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) - મુત્તફકુન્ અલયહિ
explain-icon

સમજુતી

ઉમ્મુલ્ મુઅમિનીન આયશા રઝી અલ્લાહુ અન્હા જણાવી રહ્યા છે કે આપ ﷺ રમઝાનના છેલ્લા અશરામાં જરૂર એઅતિકાફમાં બેસતા હતા, લૈલતુલ્ કદર પ્રાપ્ત કરવા માટે, આ અમલ સતત કરતા રહ્યા, જ્યાં સુધી અલ્લાહએ આપ ﷺને મૃત્યુ ન આપી દીધું, ત્યારબાદ આ રીતે આપ ﷺની પત્નીઓ પણ જરૂર એઅતિકાફ કરતી હતી.

explain-icon

હદીષથી મળતા ફાયદા

  • મસ્જિદોમાં એઅતિકાફ કરવાની પરવાનગી, સ્ત્રી પણ કરી શકે છે જો શરીઅતે વર્ણવેલ નિયમોનું પાલન થતું હોય, તેમજ ફિતનાથી સુરક્ષિત રહેવાની શરત પર.
  • રમઝાનના છેલ્લા દસ દિવસોમાં એઅતિકાફની તાકીદ કરવામાં આવી છે; કારણકે આ અમલ આપ ﷺ પાબંદી સાથે કરતા હતા.
  • એઅતિકાફ હમેંશા ચાલતી એક સુન્નત છે, જે ક્યારેય છોડવામાં ન આવે, જેવું કે આપ ﷺ પછી આપ ﷺની પવિત્ર પત્નીઓએ પણ એઅતિકાફ કર્યો.
explain-icon

વધુ