અબ્દુલ્લાહ બિન મસ્ઉદ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «હજ્જ અને ઉમરહ એક પછી એક કરો, કારણકે તે ગરીબી અને ગુનાહોને એ રીતે દૂર કરે છે, જે રીતે આગ લોખંડ, સોના અને ચાંદી માંથી કાટ કાઢી નાખે છે, અને હજ્જે મબરૂરનો સવાબ જન્નત સિવાય કઈ પણ નથી». સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) - رواه الترمذي والنسائي وأحمد
explain-icon

સમજુતી

આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ હજ્જ અને ઉમરહના કાર્યોને વારંવાર કરવા પર ઉભાર્યા છે, જો શક્તિ હોય તો અને આ રીતે કરવું ગરીબી અને ગુનાહો દૂર કરવાનું કારણ છે, અને તેનો અસર દિલ પર એ રીતે થાય છે, જે રીતે આગ લોખંડના કાટને દૂર કરી દે છે અને બીજી ગંદકી સફ કરી દે છે.

explain-icon

હદીષથી મળતા ફાયદા

  • હજ્જ અને ઉમરહના અરકાનને એક સાથે કરવાની મહત્ત્વતા અને તેના પર ઉભારવામાં આવ્યા છે.
  • હજ્જ અને ઉમરહના અરકાનને એક સાથે કરવું સમુદ્રી પ્રાપ્ત કરવાનું અને ગુનાહો માફ કરવાનો એક સ્ત્રોત છે.
  • ઈમામ મુબારકફૂરી રહિમહુલ્લાહએ કહ્યું: (તે બંને ગરીબીની દૂર કરે છે) અર્થાત્ તેને ખતમ કરી દે છે, અને જાહેર ગરીબીને હાથમાં સમુદ્રી આપી દૂર કરે છે, અને આંતરિક ગરીબીને દિલની સમુદ્રી આપી દૂર કરે છે.