આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જણાવી રહ્યા છે કે જે વ્યક્તિ સંપૂર્ણ અરકાન સાથે સારી રીતે વઝૂ કરે, અર્થાત્ સુન્નત પ્રમાણે, પૂરેપૂરું, તેના આદાબને ધ્યાનમાં રાખીને, પછી જુમ્માની નમાઝ પઢવા માટે આવે, અને શાંતિથી ધ્યાનથી ખુતબો સાંભળે, તેમજ વ્યર્થ કામોથી બચે, તો તેના દસ દિવસના નાના નાના ગુનાહ માફ કરી દેવામાં આવે છે, એક જુમ્માથી બીજા જુમ્મા સુધી તેમજ ત્રણ દિવસ વધુ વર્ણન કર્યા; કારણકે એક નેકી દસ ઘણી બની જાય છે, ત્યારબાદ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તે દરેક વસ્તુથી રોક્યા છે, જેના કારણે તમારું દિલ નસીહત પ્રાપ્ત કરવાથી વંચિત થતું હોય, જેમકે પોતાના શરીર સાથે રમત ગમત કરવી, તેમજ કાંકરિયોને પકડવી, આ પ્રમાણેના વ્યર્થ કાર્યોમાં વ્યસ્ત રહેવું; કારણકે જે વ્યક્તિ આ પ્રમાણે કરશે, તો તે વ્યર્થ કાર્ય કરી રહ્યો છે, અને જે વ્યર્થ કાર્યો કરશે, તેનો જુમ્માના સવાબમાં કોઈ ભાગ નથી.