આ હદીષમાં નબી ﷺએ જણાવ્યું કે જે વ્યક્તિ નમાઝમાં સૂરે ફાતિહા નહિ પઢે તો તેની નમાઝ નહીં ગણાય, અને દરેક રકઅતમાં સૂરે ફાતિહા પઢવું અનિવાર્ય છે; કારણકે તે નમાઝનું એક રુકન (સ્થંભ) છે.
હદીષથી મળતા ફાયદા
જો સૂરે ફાતિહા પઢી શકતા હોય તો તેના સિવાય અન્ય સુરત સૂરે ફાતિહાની જગ્યાએ પઢવી પૂરતી નથી.
જે રકઅતમાં સૂરે ફાતિહા પઢવામાં ન આવે તો તે રકઅત અમાન્ય છે, પછી ભલે તે જાણી જોઈને, અજ્ઞાનપૂર્વક અથવા ભૂલના કારણે હોય; કારણ કે તે એક સ્તંભ છે, અને થાંભલો ક્યારેય પડતો નથી.
જો મુકતદી (નમાઝ પઢનાર) વ્યક્તિ એવી સ્થિતિમાં આવે કે ઇમામને રુકૂઅમાં હોય તો સૂરે ફાતિહા પઢવી જરૂરી નથી.