આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જણાવી રહ્યા છે: મોમિન પુરુષ અને સ્ત્રી પરથી અજમાયશ ક્યારેય ખતમ નથી થતી, તેના પ્રાણ, તેના સ્વાસ્થ્ય, તેના શરીર અને તેની સંતાનમાં બીમારી, મૃત્યુ અને નાફરમાની રૂપે તેમજ અન્ય રીતે પણ અજમાયશ સતત થતી રહે છે, અને તેના માલમાં અછત, તંગી, ચોરી અને તેના વેપારના મંદી નાખી, તેમજ તંગ કરી તેની અજમાયશ થાય છે, અહીં સુધી કે તેના પર કોઈ ગુનોહ હોતો નથી, અને તે પોતાના પાલનહારથી સંપૂર્ણ પવિત્ર તેમજ ગુનાહોથી પવિત્ર થઈ મુલાકાત કરે છે.