આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જણાવી રહ્યા છે કે અલ્લાહ તઆલા હદીષે કૂદસીમાં કહે છે: તે વ્યક્તિ મારું અપમાન કરે છે અને હું તેનાથી દુઃખી થાઉં છું, જે આપત્તિના સમયે અથવા મુસીબત વખતે, જમાનાને ગાળો આપે છે; કારણકે અલ્લાહ એકલો જ વયવસ્થાપક છે, અને તે જેમ ઈચ્છે વ્યવસ્થા કરે છે, ફેરફાર કરે છે, એટલા માટે જમાનાને ગાળો આપવી તેની વ્યવસ્થા કરનારને ગાળો આપવી ગણાશે, અને જમાનો પણ એક આધીન સર્જન છે, જેમાં અલ્લાહના આદેશ પ્રમાણે કિસ્સાઓ થતા હોય છે.