આ હદીષમાં નબી ﷺએ તે ત્રણ પ્રકારના લોકો માટે અપમાન અને નુકસાનની દુઆ કરી છે કે તેમના નાક માટીમાં ચોંટીને નષ્ટ થઈ જાય. પહેલો પ્રકાર: જેની સમક્ષ નબી ﷺનું નામ લેવામાં આવે અને તે તેમના પર દરૂદ ન પઢે, જેમકે આ શબ્દો: સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ વગેરે. બીજો પ્રકાર: તે વ્યક્તિ જે રમજાનનો મહિનો પામે, પરંતુ તે મહિનો પસાર થઈ જાય, તે પહેલા કે તે ખૂબજ આજ્ઞા પાલન કરી પોતાને માફ કરાવી લે. ત્રીજો પ્રકાર: તે વ્યક્તિ જે પોતાના માતા પિતાને વૃદ્ધવસ્થામાં જોવે, અને તેમની સેવા કરી પોતાને જન્નતનો હકદાર ન બનાવી શકે.