આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે જે વ્યક્તિ આ દુઆ પઢે: (લા ઇલાહ) કોઈ સાચો ઇલાહ નથી, (ઇલ્લલ્લાહુ વહદહુ લા શરીક લહુ) ઈબાદતમાં, સર્જક હોવામાં અને પવિત્ર નામો અને ગુણોમાં,(લહુલ્ મુલ્કુ) અને દરેક પ્રકારની વ્યવસ્થા અને સંચાલનમાં, (વ લહુલ્ હમ્દુ) તે દરેક જેનું સર્જન કર્યું છે તે તેની પ્રસંશા કરે છે, (વહુવ અલા કુલ્લિ શયઇન્ કદીર) કોઈ પણ અવરોધ અને ખચકાટ વિના, જે તે ઈચ્છતો નથી તે થતું નથી. જે વ્યક્તિ આ દુઆને દિવસમાં સો વખત પઢે, તો અલ્લાહ પાસે તેનો સવાબ દસ ગુલામો આઝાદ કરવા બરાબર છે, એવી જ રીતે તેના માટે સો નેકીઓ અને સો દરજ્જા જન્નતમાં લખવામાં આવે છે, અને તેના સો ગુનાહ માફ કરી દેવામાં આવે છે, એવી જ રીતે તે દિવસે તેની શૈતાનથી સુરક્ષા કરવામાં આવે છે, અહીં સુધી કે સાંજ થઈ જાય, અને કોઈ પણ વ્યક્તિ કયામતના દિવસે તેના કરતાં શ્રેષ્ઠ વસ્તુ (નેકી) લઈને નહીં આવે, સિવાય એ કે જે વ્યક્તિએ આ દુઆ વધુ વખત પઢી હશે.