આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જણાવી રહ્યા છે કે મેં ઇસ્રા અને મેઅરાજની રાત્રે ઈબ્રાહીમ ખલીલુલ્લાહ સાથે મુલાકાત કરી, તેમણે કહ્યું, હે મુહમ્મદ ! મારા તરફથી તમારી કોમને સલામ પહોંચાડશો અને કહેજો કે જન્નતની માટી ખૂબ જ ફળદ્રુપ છે, તેનું પાણી ખૂબ જ મીઠું છે, સહેજ પણ ખારાશ નથી, અને જન્નત એક વિશાળ સપાટ મેદાન છે, આ પવિત્ર શબ્દો દ્વારા ત્યાં વાવણી કરવામાં આવે, અને બાકી રહેવાવાળી નેકીઓ છે : સુબ્હાનલ્લાહિ, વલ્ હમ્દુ લિલ્લાહિ, વલા ઇલાહ ઇલ્લલ્લાહ, વલ્લાહુ અકબર , જ્યારે પણ કોઈ મુસ્લિમ આ શબ્દો કહેશે અને દોહરાવશે તો તેના માટે એક છોડનું રોપાણ કરવામાં આવશે.