અબુ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «જે વ્યક્તિએ એક દિવસમાં "સુબ્હાનલ્લાહિ વ બિહમ્દિહિ" સો વખત પઢશે, તો તેના ગુનાહ માફ કરી દેવામાં આવશે, ભલેને તેના ગુનાહ સમુદ્રની ફીણ જેટલા પણ કેમ ન હોય». સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) - મુત્તફકુન્ અલયહિ
explain-icon

સમજુતી

આ હદીષમાં આપ ﷺ જણાવી રહ્યા છે કે જે વ્યક્તિ એક દિવસમાં સો વખત "સુબ્હાનલ્લાહિ વ બિહમ્દિહિ" પઢશે તો તેના ગુનાહ ખત્મ કરી દેવામાં આવે છે અને તેને માફ કરી દેવામાં આવે છે, ભલેને તેણે કેટલાય ગુનાહ કેમ ન કર્યા હોય, જેવા કે સમુદ્રના કિનારા પર તેના મોજા અને તેની લહેરો દ્વારા દેખાતી સફેદ ફીણ જેટલા પણ કેમ ન હોય.

explain-icon

હદીષથી મળતા ફાયદા

  • આ સવાબ સતત દિવસમાં સો વખત પઢનાર અથવા અંતરાલ સો વખત પઢનર બંનેને પ્રાપ્ત થશે.
  • અત્ તસ્બીહ: અલ્લાહ તઆલાની પવિત્રતાનું વર્ણન કે તે દરેક ખામીથી પાક છે, વલ્ હમ્દ (પ્રસંશા): તેને મોહબ્બત અને મહાનતા સાથે દરેક પ્રકારથી સપૂર્ણ માનવો.
  • આ હદીષમાં જે ગુનાહ માફ કરવાની વાત છે, તે સગીરહ (નાના) ગુનાહ છે, કબીરહ (મોટા) ગુનાહ જેના માટે તૌબા કરવી જરૂરી છે.